સામાન્ય રીતે લોકો માં એવી છાપ કે અમદાવાદીઓ કંજૂસ બૌ હોય પણ બોસ જુના જમાના ની એ કહેવત આજની પેઢીના અમદાવાદીઓ ને લાગુ પડતી નથી હવે તો અમદાવાદીઓ પણ ખાવા-પીવા ના ભારે શોખીન હોવાની વાત સામે આવી છે અને વર્ષે દહાડે કરોડો નું બહાર નું ભોજન આરોગે છે માત્ર પિત્ઝા ની વાત કરવામાં આવે તો વર્ષ દરમ્યાન અંદાજે 400 કરોડ રૂપિયાના પિઝા અમદાવાદીઓ ઝાપટી જાય છે આ વાત ગુજરાતના પિઝાની ચેઈન ચલાવતાં માસ્ટર ફ્રેન્ચાઈઝર અને ફાઉન્ડર્સ જણાવી રહ્યા છે. અમદાવાદમાં હાલ બ્રાન્ડેડ પિઝા પાર્લર 300થી વધારે છે. 400 કરોડના ખર્ચમાં એસજી હાઇવે પર ત્રણ નવા ઓવરબ્રિજ બનાવી શકાય. આટલાં જ ખર્ચમાં સાડા ત્રણસો રૂમની તાજ જેવી ફાઇવસ્ટાર હોટલ પણ બનાવી શકાય અને આટલાં જ ખર્ચમાં 8 લાખના બજેટની 5 હજાર કાર પણ ખરીદી શકાય.
આમ હવે અમદાવાદ ની આજની પેઢી એ જુના જમાના ની કંજૂસ છાપ પાછળ છોડી દીધી છે અને હવે અન્ય ખાણી-પીણી ની વાત અને ખર્ચા ની વાત દૂર રાખીએ તો પણ માત્ર પિત્ઝા માં જ કરોડો રૂપિયા ઉડાવી રહયા નું સામે આવી રહ્યુ છે.
6
/ 100
SEO સ્કોર