ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે ઘટી રહી છે. ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,64,121 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1201 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,46,308 લાખે પહોંચી ગઇ છે.
ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 2 અને સુરત શહેરમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3670 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1884 અને સુરતમાં 8343 લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા 14,143 છે, જેમાંથી હાલમાં 72 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 55,85,445 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,43,688 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,43,432ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 256 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સ્થિત
કુલ પોઝિટિવ કેસઃ 1,64,121
કુલ એક્ટિવ કેસઃ 14,143
કુલ મૃત્યુઆંકઃ 3670
સાજા થયેલા દર્દીઓઃ 1,46,308