કોરોના પોઝીટીવ આવેલા કોંગ્રેસ અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી ની વડોદરા ની બેંકર્સ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જ્યાં તેઓ ની સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેઓ ને મોડીરાત્રે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ ને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા વડોદરા ના માંજલપુર સ્થિત બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી સારવાર લઇ રહ્યા હતા.
ભરતસિંહ હાલ ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર છે. ત્યારે વધુ સારવાર માટે એક કલ્લાકમાં વડોદરાથી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે ભરતસિંહ સોલંકીને અમદાવાદ ખાતે સિમ્સ અંથવા ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા રાજકીય વર્તુળો માં ભારે દોડધામ જોવા મળી હતી.
