મહાત્મા ગાંધીજી પરિવાર ના સદસ્ય નું અવસાદ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે ,સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની વયે ગ્લોબલ હોસ્પિટલમાં નિધન થયું હતું, વિગતો મુજબ તેઓ ઘરમાં અકસ્માતે પડી ગયા બાદ સાતેક દિવસથીતેઓની તબિયત ખરાબ હતી. જેઓનું સારવાર દરમિયાન અવસાન થયું હતું ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં જીવન પસાર કરી રહ્યા હતા
