ગુજરાત ના સૌથી ઊંચા ગણાતા ગિરનાર પર્વત પર સૌ પ્રથમવાર ધર્મની ધજા ચડાવવામાં આવી છે. ગિરનારનું સૌથી ઊંચું શિખર ગુરુ ગોરક્ષનાથજી જમીનથી 3663 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
અહીં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિકો દર્શન માટે આવે છે. સૌપ્રથમવાર સૌથી ઊંચાઈ પરના ધાર્મિક સ્થાન પર 26 ફૂટ લંબાઇ તેમજ 151 કિલો વજન ધરાવતો પિત્તળનો ધજા સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે જે ખાસ જયપુર થી મંગાવાયો છે.
ધજા સ્તંભમાં પિત્તળનું ડમરુ, ત્રિશૂલ તેમજ ઘંટડીઓ લગાવવામાં આવી છે તેમજ મંદિરમાં 6 જર્મન સિલ્વરનાં છત્તર, 6 પિત્તળનાં કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આગામી રવિવારના રોજ કળશનું સ્થાપન કરવામાં આવશે.
ગુરુ ગોરક્ષનાથ મંદિરનો આશ્રમ ગિરનાર રોડ પર નાથજી દલિચાને નામે જીવંત છે. ત્યાં ધજા, કળશ અને છત્તરનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.