ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ એવા મંજુલા સુબ્રમણ્યમનું વડોદરામાં નિધન થયુ છે,જેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.
પૂર્વ IAS અધિકારી મંજુલા સુબ્રમણ્યમના નિધન ઉપર પીએમ મોદીએ શોક વ્યકત કર્યો હતો,તેમણે ટ્વિટ કર્યું, પીઢ અમલદાર ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે જાણીતી હતા.
મહત્વનું છે કે તેઓએ નવો રિયલ્ટી કાયદો અમલમાં લાવ્યા હતા.
રિયલ અસ્ટેટ પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટ એજેન્ટોની નોંધણી, મંજૂર અને નિયમન માટે રાજ્ય સ્તરની નિયમનકારી કરવા સહિત
ઓથોરિટી રોકોર્ડની વેબસાઈટ પ્રકાશિત કરવા અને જાળવવા અને વિવિધ દસ્તાવેજી બાબતમાં ઓનલાઈન કરવા જેવા ઘણા સકારાત્મક કાર્યોમાં યોગદાન આપ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના મુખ્ય સચિવ તરીકે તેઓએ સેવા આપી હતી.
એટલુંજ નહિ પણ 2008માં નિવૃત્ત થયા બાદ પણ અનેક હોદ્દા પર તેઓએ સેવાઓ આપી હતી.