રૂ.૫૦૦ની નોટ માત્ર ૨, ડિસેમ્બરની રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ રાજ્યભરના ટોલ પ્લાઝા પર લેવાની સરકારે છૂટ આપી હતી. જેથી ટોલ પ્લાઝા પર વાહનોની કતારો લાગે નહીં તે હેતુથી સરકારની સૂચનાના આધારે બેંકે તમામ ૩૬ ટોલ પ્લાઝા પર કાર્ડ સ્વાઈપ કરવાના મશીન લગાવી દીધા છે. રૃ.૫૦૦ના દરની નોટ પણ ટોલ પ્લાઝા પર ગઈ કાલે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવી હતી.
તા.૩ ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવાનું શરૂ થયું છે.ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવાનું શરૂ થાય તેની સાથે વાહનોની કતારો લાગશે.
હાલમાં રોકડની તંગી છે. જેથી વાહનચાલકો ઈ-પેમેન્ટથી ટોલ ભરી શકે અને વાહનોની કતારો લાગે નહીં તે હેતુથી સરકારે એસબીઆઈના રાજ્યના તમામ ૩૬ ટોલ પ્લાઝા પર તાત્કાલિક પોઈન્ટ ઓફ સેલ મશીન ફિટ કરવા આદેશ કર્યા હતા. તેના પગલે બેક્ને આ કામગીરી પૂરી કરી દીધી હતી. જેથી વાહનચાલકો ડેબિટ, ક્રેડિટ, રૂપે સહિતના કાર્ડ સ્વાઈપ કરીને ટોલ ચૂકવી શકશે. વડોદરાના નિઝામપુરા ગામ પાસે આવેલા એક સેવઉસળની લારીએ એક મશીન અપાયું હતું. આવી ખાણીપીણીની ૧૦૦૦ લારીધારકોને સ્વાઈપ મશીનો અપાશે તેવું જાણવા મળે છે. જેમાં પ્રથમ તબક્કામાં ૨૦૦ લારીધારકોને આવા સ્વાઈપ મશીનો અપાશે. જે મશીનો હંગામી ધોરણે અપાશે. હાલ તો ૧૫મી ડિસેમ્બર સુધીની આ રીતની વિના મૂલ્યે સવલત બેંક ઓફ બરોડા તરફથી કરાઈ છે. જો કે, બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરત ડાંગરે કહ્યું હતું કે, જેવી માગણી આવશે તે પ્રમાણે સ્વાઈપ મશીનની સવલત પૂરી પડાશે.