અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 10 જુલાઇ, 2021ના રોજ 53 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,200 લાખ થઇ ગઇ છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 25 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,12,976 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.64 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં સતત બીજા દિવસે વાયરસના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10073 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1151 થઇ છે અને જેમાંથી હાલમાં 08 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
તો સળંગ ત્રીજા કોરોના રસીકરણ અભિયાન બંધ રહ્યા બાદ ગુજરાતમાં શનિવારે ફરીથી વેક્સીનેશન શરૂ થયુ છે. ગુજરાતમાં શનિવારે કુલ 3,02,282 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,76,27,473 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.