ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે.
ગુજરાતમાં ગુરુવારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1207 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોનુ કુલ સંખ્યા વધીને 8,13,270 લાખે પહોંચી ગઇ છે. તો નવા 17 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 3018 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 95.78 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9890 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 75 હજાર 359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 24 હજાર 404 એક્ટિવ કેસો, 429 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 23 હજાર 975 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9890 એ પહોંચી છે.