અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યુ છે જો કે સાવધાની રાખવાની જરૂર છે. ગુજરાતમાં આજે રવિવાર, 12 ડિસેમ્બરના રોજ 1175 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા 25 દિવસમાં સૌથી ઓછા નવા કેસ છે.
ગુજરાત રાજ્યમાં આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1175 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,27,683 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, આજે રવિવારે ગુજરાતમાં કોરોનાથી 11 દર્દીઓના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 8 અને સુરતમાં 3 દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4171 પહોંચી ગયો છે.
આ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 1347 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,10,214 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 92.33 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 13,298 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 65 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 86,69,576 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,39,514 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,39,377ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 137 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.