અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. ગુજરાતમાં આજે 30 એપ્રિલના રોજ 14605 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 5,67,777 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 173 દર્દીઓના મોત થયા છે જે એક દિવસમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યાંક છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 7183 પહોંચી ગયો છે.
કોરોના વાયરસની બીજી લહેર અત્યંત ભારે પડી છે. આમ એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 2,60,079 નવા કેસ નોંધાયા છે. આ સાથે એપ્રિલમાં કોરોના સંક્રમણથી કુલ 2664 દર્દીઓના મોત થયા છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 10180 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 4,18,548 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 73.72 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 142046 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 613 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે 1,64,425 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 53216 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 94377 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 96,94,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,20,87,266 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.