અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 17 જુલાઇ, 2021ના રોજ 37 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,460 લાખ થઇ ગઇ છે.
ગુજરાતમાં કોરોના વાયરસ ફરી કાતિલ બન્યો છે અને ચાર દિવસ બાદ ફરી વાયરસ સંક્રમિત એક દર્દીનું મોત થયુ છે. આજે શનિવારે સુરતમાં કોરોના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10075 પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે કુલ 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 45 વર્ષ સુધીના 1,651,093 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,153 વ્યક્તિઓને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 54,933 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 72,650 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,93,41,544 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 110 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,13,853 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.71 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 532 થઇ છે અને જેમાંથી હાલમાં 06 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.