અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. ગુજરાતમાં આજે 29 એપ્રિલના રોજ 14327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 5,53,172 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 180 દર્દીઓના મોત થયા છે જે એક દિવસમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યાંક છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 7010 પહોંચી ગયો છે.
આ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 9544 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 4,08,368 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 73.82 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 137794 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 572 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે 1,64,979 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 62026 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 88,549 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 96,33,415 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 22,89,426 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,19,22,841 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.