ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો વિસફ્ટો થયો છે અને સતત બીજા દિવસે ફરી એક દિવસમાં સૌથી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા કેસોની સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ચિંતાજનક દરે વધી રહી છે.
આજે ગુરુવારે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે ફરી 1560 વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવતા હાહાકાર મચ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,03,509 લાખે પહોંચી ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1302 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,85,058 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.93 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 12, સુરતમાં કુલ 3 અને વડોદરામાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3922 લોકોને ભરખી ગયો છે. આજે ગુજરાતમાં કોરોનાથી થયેલ કુલ મોતમાં સૌથી વધુ અમદાવાદના દર્દીઓના મોત થયા છે..
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સોમવારે વધીને 13,836 પહોંચી ગઇ હતી જે મંગળવારે ફરી વધીને 14,044 અને બુધવારે 14287 અને ગુરુવારે 14,529 પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 92 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 70,820 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 75,51,609 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,05,648 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,05,519ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 129 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.