કૃષિકાયદા ના વિરોધ માં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. ગુજરાતના ધાનેરા રેલવે સ્ટેશન પર રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જોકે ટ્રેન રોકવા પહોંચેલા ખેડૂતોને રેલવે પોલીસે અટકાવી દીધા હતા અને જેવા આગેવાનો રેલવે સ્ટેશનમાં આવ્યા કે તરત જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને નેતાઓને અટકાવવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતો એ રેલ રોકો આંદોલન નું એલાન કર્યુ છે અને દેશના વિવિધ ભાગો માં ખેડૂતોનું રેલ રોકો અભિયાનની અસર કરી રહ્યું છે , અંબાલામાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા છે, જ્યારે દિલ્હીની આસપાસ પણ ખેડૂતોએ ટ્રેક પર બેસી ગયા છે બિહાર,પંજાબ,હરિયાણા માં પણ આંદોલન ની અસર છે ત્યારે ગુજરાત માં પણ રેલ રોકો આંદોલન કરવા ગયેલા આંદોલનકારીઓ ને પોલીસે અટકાવી દીધા હતા.
Friday, May 3