રાજ્યમાં કોરોના એ બૂમ પડાવી દીધી છે અને છેલ્લા 24 કલાક ની જ વાત કરવામાં આવે તો સૌથી વધુ 510 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં લોકડાઉન માં છૂટછાટ બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસો માં સૌથી વધુ અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. આમ ગુજરાત માં કોરોના નું જોર વધી રહ્યુ છે ત્યારે લોકો એ જાતેજ સાવધાની રાખવી પડશે અન્યથા કોરોના ને બેકાબુ થતા કોઈ રોકી નહિ શકે.
