રાજ્યસભાની 10 બેઠકો માટે યોજાનાર ચૂંટણીનુ સત્તાવાર પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપે ત્રણ બેઠકો કબ્જે કરી લીધી છે. ગુજરાતમાંથી રાજયસભાની ત્રણ બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.
આમતો આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આખરી દિવસ હતો. જોકે, ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે.
20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે.
કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. જેથી ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે ભાજપ દ્વારા ડમી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે. ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ તથા પ્રેરક શાહે ડમી ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા હતા. જેમના ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે.
જોકે, આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે જે હવે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે.
Friday, May 10