આજે બાળાઓ થી માંડીને કિશોરીઓ,યુવતીઓ સલામત રહી નથી સમાજ માં બધેજ શોષણ થતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશ માં આવી રહયા છે ત્યારે શાળા,કોલેજ અને ટ્યુશન કલાસ માં પણ ગભરુ અને નાદાન સગીર વય ની છોકરીઓ સલામત નથી રહી તે વાત ને તાદ્રશ્ય કરતી કરૂણ અને ચોંકાવનારી ઘટના માં સુરેન્દ્રનગર માં ટ્યુશન કલાસ ચલાવતા આધેડ પરિણીત શિક્ષકે પોતાના જ કલાસ ની માસૂમ કિશોરી ને પ્રેમજાળ માં ફસાવી લગ્ન કરી શકે તેમ નહિ હોવાનું જણાતા આધેડે બાળા ની માંગ માં સિંદૂર ભરી કલાસ માં જ લગ્ન કર્યા બાદ બન્ને એ ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
પોલીસે સ્થળ ઉપર કરેલી તપાસ દરમ્યાન ત્રણ પાનાની સુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં બંન્નેએ પોતાના પરિવાર પાસે માફી માંગી હતી.
આ ઘટના અંગે ની વગતો મુજબ રતનપરમાં 48 વર્ષના દિનેશભાઇ દલવાડી ટ્યુશન ક્લાસ ચલાવે છે. જ્યાં એક વિદ્યાર્થીની ધોરણ 10નો અભ્યાસ કરવા માટે આવતી હતી દરમિયાન પરિણીત શિક્ષક દિનેશભાઇ ને કુમળી વય ની માસૂમ વિધાર્થીની ગમી ગઈ હતી અને પ્રેમ થઇ જતાં તેઓ એ ટ્યુશન ના બદલે પ્રેમ ના પાઠ ભણાવવાનું શરૂ કરતાં બન્ને તરફ ઇલુઇલું શરૂ થઈ ગયુ હતુ બીજી તરફ આધેડ વય ના શિક્ષક ને માસૂમ પ્રેમિકા જેવડો જ દિકરો કોલેજમાં અભ્યાસ કરતો હોય તેમના સંતાનો મોટા હોય કોઇ પણ પ્રકારે એક થઇ શકે તેમ નહી લાગતા સમાજ ના ડર ને કારણે આખરે બન્ને એ ટ્યુશન ક્લાસીસ માં હુક સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
વિગતો મુજબ ટ્યુશન કલાસ માં દિનેશભાઇ અને વિદ્યાર્થીની સવારે 7 વાગ્યે જ ઘરેથી આવી ગયા હતા બંને એ નવા કપડા પહેર્યા હતા વિદ્યાર્થીની એ ચુડો પહેર્યો હતો.
ત્યારબાદ શિક્ષકે પોતાની પ્રેમિકા શિષ્યા ને સેંથામાં સિંદુર પુરીને મંગળસુત્ર પહેરાવ્યું હતું અને બંન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે કબ્જે કરેલી સુસાઇડનોટમાં વિદ્યાર્થીની એ પોતાના ભાઇને ભણવામાં ધ્યાન આપવાનું કહીને પપ્પા-મમ્મી અને દાદા – દાદી પાસે માફી માંગી હતી.
સાથે લખ્યું કે, પપ્પાની ઇચ્છા મને બેંકમા નોકરી અપાવવાની હતી અને સારા ઘરમા પરણાવવાની હતી. જો કે હું તેમાં પાર ઉતરી નથી તે માટે માફી માંગુ છું. તમે બધા મારા પર શંકા કરતા હતા તે વાત સાચી હતી અને હું ખોટુ બોલીને આ સંબંધો છુપાવતી હતી. બંન્નેએ લખ્યું કે લોકોને કદાચ આ લફરૂ લાગશે પરંતુ અમારો પ્રેમ સાચો છે.
આમ સુરેન્દ્રનગર માં બનેલી આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.