જામનગરમાં ગાયોમાં લમ્પી વાયરસે મચાવ્યો હાહાકાર મચાવતા 18 ગાયોના મોત થઈ ગયા છે અને વધુ ગાયોના મોત ન થાય તેમાટે તંત્ર હરકતમાં આવ્યું છે અને રસીકરણ અભિયાન હાથ ધરી દીધું છે.
જામનગરમાં લમ્પી વાયરસ ફેલાતા 18 ગાયના મોત થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે.
જામનગર શહેરમાં ગાયો લમ્પી વાયરસના રોગચાળાની ઝપેટમાં આવી જતા સફાળી જાગેલા તંત્રવાહકો દ્વારા ત્રણ દિવસથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં મે મહિનાની શરૂઆતમાં ગાંધીનગર, નવાગામ ઘેડ, રામેશ્વરનગર સહિતના વિસ્તારોમાં ગાયમાં શરીરે ગાંઠા થવાનો રોગચાળો જોવા મળતા પશુપાલન વિભાગ દ્વારા જેતે સમયે ગાયોની તપાસ કરતા ગાયોમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાયો હોવાનું બહાર આવ્યું હતુ અને લમ્પી વાયરસનો પ્રથમ કેસ ગત તા.2 મે ના રોજ નોંધાયો હતો.
જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નિયામકે મનપા પાસે હકીકતલક્ષી અહેવાલ માંગતા મનપાની સોલીડ વેસ્ટ શાખાએ ગતા તા.27 મે ના નાયબ પશુપાલન વિભાગને મોકલેલા અહેવાલમાં લમ્પી વાયરસથી શહેરમાં 18 ગાયના સતાવાર મોત થયાનો અને તેનો યોગ્ય રીતે નિકાલ કર્યાનો સ્વીકાર કરતા ખળભળાટ મચી ગયો છે. ગાયના મોત થતા યુધ્ધના ધોરણે મનપા દ્રારા ગાયનું રસીકરણ શરૂ કરાયું હોવાના અહેવાલ છે.