ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે તે હજુપણ નક્કી થતું નથી ત્યારે આજે નરેશ પટેલ જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા,અહીં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. નરેશભાઈ પોથીયાત્રા દરમિયાન વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે રથમાં સવાર થયા હતા.
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે આજે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
આમ તેઓ ભાજપ નેતાઓ સાથે જોવા મળતા ક્યાં પક્ષમાં જશે તે નક્કી થતું નથી.