જામનગરમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ બની ગયું છે અને સાવચેતીના ભાગરૂપે અહીંના 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતું.
જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે અને તારીખ 14 અને 15 જૂનના રોજ ભારે પવન ફૂંકાવાની આગાહી છે ત્યારે
જામનગર શહેરના જૂના રેલ્વે સ્ટેશન અને હાલમાં ખંડેર હાલતમાં રહેલી લગભગ 100 વર્ષ જૂની ઇમારતને તોડી પાડવામાં આવી છે.
જામનગરના મહાનગરપાલિકાની ટીમ હિટાચી, જેસીબી અને ટ્રેક્ટર સાથે જૂના રેલ્વે સ્ટેશને પહોંચી હતી અને જૂના સ્ટેશનની જર્જરીત ઈમારત તોડી પાડી હતી.
જોકે,અન્ય જગ્યાએ નવું સ્ટેશન કાર્યરત થતાં આ જૂની ઈમારતના રેલવે સ્ટેશનને છેલ્લા ત્રણ દાયકાથી બંધ કરવામાં આવ્યું હતું. ખંડેરમાં ફેરવાઈ ગયેલી આ ઈમારતમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હતી. અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું.
પરંતુ રેલ્વેની મિલકત હોવાથી કંઈ થઈ શકતું નહોતું. આખરે વાવાઝોડાની આગાહી વચ્ચે જૂના સ્ટેશનને તોડી પાડવાના આદેશ આપવામાં આવતા જગ્યા ખુલ્લી થઈ છે.