રાજ્ય માં કોરોના એ સરકાર ની આરોગ્ય વિભાગ ની પોલ ખોલી નાખી છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની પડતી મુશ્કેલીઓ મામલે NCP નેતા રેશ્મા પટેલ દ્વારા સરકાર ને રજુઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ નહિ આવતા તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત કરાતા રેશ્મા પટેલે કહ્યું હતું કે,’વિજયભાઈ રૂપાણી જ્યાં સુધી ગુજરાતનું ભલું નહીં કરો ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ રહેશે’. રેશ્મા પટેલે પોલીસ સ્ટેશનમાં પણ પોતાના આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ સામે એનસીપી નેતા રેશ્મા પટેલે દેખાવ સાથે ધરણા કરવાની ગઈકાલે ચીમકી આપી હતી. જે મુજબ આજે તેઓ ધરણાં કરે તે પહેલા જ રેશ્મા પટેલની બે કાર્યકરો સાથે પોલીસે અટકાયત કરી લીધી હતી. કોરોના મહામારી સામે ગુજરાત સરકાર નિષફળ ગયાનો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ માટે સુવિધા વધારવામાં ન આવતા 10 મેથી એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે સિવિલ સામે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.
જિલ્લાના પીએચસી, સીએચસી તેમજ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે યોગ્ય સારવારની સુવિધા ઉભી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. જે સંતોષાયેલ ન હોવાથી આજથી ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી તેઓ એ સરકાર ની નિષ્ફળતા ઉપર પ્રહારો કર્યા હતા.