નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલેરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર સામાન્ય પગારદારના જીવન પર થશે. આવકવેરાના હાલના દર અને સ્લેબમાં કોઈ જ ફેરફાર કર્યા વિના નવો શ્રમ કાયદો લાગુ થવાની શક્યતા છે તે ફેરફારોથી હાથમાં આવનારા પગારમાં ઘટાડો થઈ શકે છે. તેનો ફાયદો કર્મચારીને નિવૃત્તિ અને નોકરી છોડતી વખતે મળશે. કેન્દ્ર સરકાર 2019માં સંસદમાં પસાર ‘વેતન સંહિતા અધિનિયમ’ 1 એપ્રિલથી લાગુ કરી શકે છે. તેનાથી કર્મચારીનો મૂળ પગાર (બેઝિક સેલેરી) ફરજિયાતપણે તેના સીટીસી એટલે કે
કોસ્ટ ટુ કંપનીના 50% થઈ જશે, તેનાથી કર્મચારીના પીએફ ખાતામાં હિસ્સો વધી જશે. આ ઉપરાંત ગ્રેજ્યુઈટી વગેરેની ગણતરી પણ વધશે. આમ, ભવિષ્યની બચત વધશે, પરંતુ દર મહિને હાથમાં આવતી સેલેરી માં ઘટાડો થશે.
નવી જોગવાઈઓ મુજબ અઠવાડિયાના દિવસ ચાર કે પાંચ, કામના કલાક 12 નવા શ્રમ કાયદા લાગુ થશે તો કામના દિવસો એટલે કે વર્કિંગ ડેઝ ઘટાડીને ચાર કે પાંચ કરવાની જોગવાઈ છે, પરંતુ કામના રોજિંદા કલાક 12 થઈ જશે.
તેમજ પીએફ પર વ્યાજથી થતી આવક પર ટેક્સ લાગશે, દરેક નાણાકીય વર્ષમાં પીએફમાં રૂ. પાંચ લાખ સુધીના રોકાણ પર વ્યાજથી થતી આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જો કોઈ કર્મચારી પીએફમાં તેનાથી વધુ રોકાણ કરશે, તો તેના વ્યાજ પર થતી આવક પર ટેક્સ લાગશે.
તથાએલટીસી એન્કેશમેન્ટ લીવ ટ્રાવેલ કન્સેશન વાઉચર હેઠળ કર્મચારીઓને મળતી છૂટનો સમય 31 માર્ચ, 2021 સુધી છે. એટલે કે આગલા મહિનાથી તેનો લાભ નહીં લઈ શકાય.
વૃદ્ધોને આઈટીઆર ભરવામાં છૂટ મળશે હવે 75 વર્ષથી વધુના પેન્શનધારકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, આ સુવિધા ફક્ત તેમને મળશે, જેમની આવકનો સ્રોત પેન્શન અને તેમાંથી મળતું વ્યાજ છે. રિટર્ન ભરવામાંથી છૂટ ત્યારે જ મળશે, જ્યારે વ્યાજની આવક એ જ બેંકમાંથી મળતી હશે, જેમાં પેન્શન ખાતું છે.
રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા વ્યક્તિગત કરદાતાને પહેલેથી ભરેલું (પ્રિ-ફિલ્ડ) રિટર્ન ફોર્મ અપાશે, જ્યારે રિટર્ન ફાઈલ નહીં કરવા બદલ હવે બમણો ટેક્સ લાગશે.
નવા નાણાકીય વર્ષથી શેર ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડની લેવડદેવડ, ડિવિડન્ડ આવક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ કે એનબીએફસી ડિપોઝિટની માહિતી રિટર્નમાં આપવી પડશે.આ માહિતી ફોર્મ 26એએસમાં પણ અપાશે.
આમ આ નિયમો લાગુ પડનાર છે.
