ગુજરાત માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અનેકગણું ફેલાઈ ગયુ છે ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં તેઓ ને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિગતો મુજબ વિધાનસભા અધ્યક્ષ અને વડોદરા રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ગતરોજ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ પણ લીધો હતો. દરમિયાન રાત્રે તેમણે હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
