આજકાલ કુતરાઓ કે જેઓ માણસ કઈ ખાવાનું આપેતો ખાય છે અને ન નાખેતો ભૂખ્યું રહે છે તે કૂતરાને મારી શકાય નહીં આ માટે કાયદામાં જોગવાઈ છે અને સજા પણ થઈ શકે છે, આપણું બંધારણ દરેક પ્રાણીઓ પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ રાખવા સૂચવે છે. બંધારણે પેટ્સનાં રક્ષણ અને તેના અધિકારો માટેની કેટલીક જોગવાઈઓ પણ કરેલી છે.ત્યારે આપને જણાવી દઈએ કે પશુનાં અધિકારો અંગે પશુ ક્રૂરતા અધિનિયમ શું કહે છે, પશુ ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(3) મુજબ કોઈ પણ સોસાયટીમાં પાલતું પશુને ભગાડવા કે રાખવા પર પ્રતિબંધ મૂકી શકાય નહિ એટલુંજ નહિ પણ કોઈપણ સોસાયટી પણ પેટ્સ પર પ્રતિબંધનો આવો કોઈ નિયમ બનાવી શકે નહીં.
માત્ર માલિક જ નહિ ભાડુઆતને પણ પેટ્સ રાખવાનો પુરો અધિકાર છે.
પેટ્સને જે રીતે સોસાયટીમાં રાખવા પર પ્રતિબંધ ન લાદી શકાય તે જ રીતે પાર્ક કે લિફ્ટનાં ઉપયોગ કરતા પેટ્સને રોકી ન શકાય, આ અંગે પણ આપણો કાયદો પેટ્સનાં સમર્થનમાં છે. કાયદો કહે છે કે કોઈ પણ પેટ્સને લિફ્ટ કે પાર્કનો ઉપયોગ કરતા રોકી શકાય નહિ. પેટ્સ એ પરિવારનો જ એક હિસ્સો છે. અને પેટ્સને પાર્ક કે લિફ્ટમાં લઈ જવા બાબતે સોસાયટી પેટ્સના માલિક પાસેથી આ માટે વધારાનો ચાર્જ પણ વસૂલી શકે નહિ.
કૂતરું વધારે ભસે તો પણ પાડોશી સામાન્ય રીતે પોલીસ ફરિયાદ ન કરી શકે,સામાન્ય સંજોગોમાં પેટ્સનાં માલિક અને પાડોશી સમજાવટથી કામ પતાવી શકે છે.
આમ,પાલતું પશુઓ માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે તેથી તેની ઉપર અત્યાચાર કરી શકાય નહીં.