રાજ્યમાં પ્રદૂષણ અને પર્યાવરણ મામલે હવે સવાલો ઉઠ્યા છે અને નિર્દોષ લોકોના સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહયા છે પણ જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
રાજ્યમાં પ્રદૂષણ અને પર્યાવરણ મામલે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યુ કે પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે અને લોકસભામાં અપાયેલી વિગત મુજબ ગુજરાતમાં 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના નિયમોને અનુસરતી નથી.
જળ, વાયુ, ધરતી સહિત મોટા પ્રમાણમાં ગુજરાત પ્રદૂષિત થઈ રહ્યું છે.
ગુજરાત સરકારે માત્ર 4 ફેક્ટરી ઉપર કાયદાકીય પગલાં લીધા છે. 965 ફેક્ટરી ઉપર શું પગલાં લેવા તે હજી નક્કી નથી કરી શક્યા. ગુજરાતની સાબરમતી, ભાદર જેવી અનેક નદીઓ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત છે. પ્રદૂષણથી લોકોને ગંભીર બીમારીઓ થઈ શકે છે.રાજ્ય સરકાર પ્રદૂષણને ડામવામાં નિષ્ફળ ગયી છે.
ગુજરાતના જળ, વાયુ, જંગલ, જમીનનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે. સરકારની પર્યાવરણ પ્રત્યેની ઉદાસીનતા લોકસભાની વિગતથી ઉડીને આંખે વળગે તેવી છે. સરકાર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ ઉપર રહેમ નજર કેમ રાખે છે તે સવાલ ઊભો થાય છે.
સરકારના પ્રદૂષણ બોર્ડ દ્વારા દાખલા રૂપ કાયદેસર કાર્યવાહી કરવાથી કોણ રોકી રહ્યું છે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રદૂષણ ફેલાવતા એકમોમાં શું સાંઠગાંઠ છે?
—ગુજરાતમાં રજિસ્ટર્ડ ફેક્ટરી- 33,486
–સરકારના પર્યાવરણના ધારા ધોરણને અનુસરણ ના કરતી ફેક્ટરી- 4605
–શો કોઝ નોટિસ- 3323 ફેક્ટરી
–કલોસર આદેશ- 313 ફેક્ટરી
–કાયદેસર કાર્યવાહી- 4 ફેક્ટરી
–એક્શન અંડર પ્રોસેસના નામે કાર્યવાહી ઉપર કોઈ નિર્ણય નહીં- 965 ફેક્ટરી
- આ આંકડા હકીકત શુ છે તે દર્શાવે છે પણ કાર્યવાહી કોણ કરે ?તે સવાલ છે.