રાજ્યમાં કોરોના નું સંક્રમણ બરાબર નું ફેલાયું છે અને મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ કોરોના ના સંક્રમણ માં ફસાયા છે , તેવે સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાં હાજર રહેનાર નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી નીસુરક્ષા માં તૈનાત ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના પોઝીટિવ આવ્યા છે. છેલ્લા સપ્તાહ માં જ વીઆઈપીની સુરક્ષામાં ફરજ બજાવતા 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ ત્રણ લોકો સંક્રમિત થયાં છે.
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.
આમ હવે કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને નેતાઓ અને સ્ટાફ ભોગ બની રહ્યા છે.
Tuesday, April 30