ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા તેઓએ શ્રી મહાદેવજી ના જળાભિષેક સાથે મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કાલે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મહત્વનું છે કે ગઈકાલે સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી હતી.
સોમનાથ માં મુખ્યમંત્રી ના પરિવારે ભગવાન મહાદેવજી ની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
