અમરેલી જિલ્લામાં રાજુલાના ડુંગર ગામે મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો આરોગ્યા બાદ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ભારે દોડધામ મચી હતી અને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
વિગતો મુજબ રાજુલાના ડુંગર ગામે રફીકભાઈ ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન સંભારંભમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો જે 2500થી 3000 જેટલા લોકોને ભોજન આરોગ્યુ હતું. જે પૈકી 15થી વધુ બાળકો સહિત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આ અંગે તંત્રને જાણ કરવામાં આવતા રાજુલા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્તોને પ્રથમ ડુંગર પીએચસી સેન્ટર ખાતે સારવાર આપવાનું શરૂ કર્યું હતું બાકીનાઓને 108 અને ખાનગી વાહનો મારફતે રાજુલા, સાવરકુંડલા, મહુવા અસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, ફૂટ પોઇઝનિંગની અસર થવાનો આંકડો હજુ પણ વધી શકે છે.