રાજ્યમાં અમદાવાદ-વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને આજે સૌથી વધુ નર્મદાના ડેડિયાપાડામાં 16.5 ઈંચ વરસાદ થતા આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આજ રીતે ઉમરપાડામાં પણ 14.5 ઈંચ વરસાદ થતાં જળબંબાકાર ની સ્થિતિ છે,જ્યારે તિલકવાડામાં 11 ઈંચ વરસાદ તો નાંદોદમાં 10.5 ઈંચ અને કપરાડામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ગરૂડેશ્વરમાં 5.5 ઈંચ, સાગબારામાં 5.5 ઈંચ, ડાંગમાં 5.5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ અને ઉચ્છલમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, વલસાડ, સોનગઢમાં 4-4 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ, સુબિર, નેત્રંગ અને લખપતમાં 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ ધનસુરા, વીજાપુર, ઉમરગામમાં 2 ઈંચ અને ડોલવણ, માંગરોળમાં, જોડીયા, કચ્છના માંડવી અને માણસામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પ્રાંતિજ, વ્યારા, માંડવી, પારડી, ખેરગામ, નસવાડી, ટંકારા અને વાંસદામાં 2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત તલોદ, ભરૂચ, ગીર ગઢડામાં 1.5 ઈંચ તથા દસક્રોઈ, સાણંદ, ઉના અમને ઝઘડિયામાં સવા ઈંચ થયો છે. સાથે હિંમતનગર, વાલોદ, તારાપુર, ગણદેવી, મહુવા, ચિખલી, વાલીયા, ડભોઈ, રાપર, વઢવાણ, માળીયા અને કલોલમાં એક-એક ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલો આવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બોડેલીના રજાનગરનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. એને પગલે લોકો તંત્ર પાસેથી મદદની રાહ જોઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યારસુધીમાં 5700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.