રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 22 સહિત 88 મામલતદારોની સામુહિક બદલીઓનો ગંજીપો ચિપાયો છે, સાથેજ 51 નાયબ મામલતદારોને બઢતી સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીઓ અગાઉ વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને પોલીસ અને મહેસુલી અધિકારીઓની બદલીઓ બાદ હવે કલાસ-2 ઓફીસરોની બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
આ પૈકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચુડાના મામલતદાર જીતેન્દ્રકુમાર દેસાઈને અમદાવાદ, ભાવનગરના પ્રદિપસિંહ ગોહીલને સાવરકુંડલા, મુળીના કે.એસ.પટેલના પાલીતાણા, જામનગર સીટીના જે.ડી.જાડેજાને તળાજા, ધંધુકાના એન.આઈ.બ્રહ્મભટ્ટને બોટાદ, ભાણવડના બી.એમ.રૂદાણીને કલ્યાણપુર, માળીયા હાટીના પી.એ.ગોહીલને ભાણવડ, તળાજાના વિજય ડાભીને ગાંધીનગર, જામનગરના બી.જે.પંડયાએ જામનગર સીટીમાં કચ્છના એચ.એન.પરમારને કેશોદ, જામનગર ચીટનીશ, જે.વી.ડોડીયાને મેંદરડા, રાજકોટના પી.આર.ઓ. વિરલ માકડીયાને જુનાગઢ સીટી, જુનાગઢના ચીટનીશ ડી.જે.જાડેજાને વંથલી, વંથલીના પી.બી.ભુરીયાને કડાણા, ચોટીલાના કે.બી.સાંગાણીને જામકંડોરણા, અમરેલીના ચીટનીશ એમ.પી.ધનવાણીને ઉપલેટા, રાજકોટ ઈસ્ટના કેતન ચાવડાને રાજકોટ ચુંટણીમાં, ઉપલેટાના જી.એમ.મહાવૈદ્ય રૂડામાં, નખત્રાણાના બી.એમ.પરમારને રાજકોટ, લાઠીના આર.બી.ગઢવીને રાજકોટ ઈસ્ટ, અમરેલી ડીઝાસ્ટરના પ્રતિક જાખર કામરેજ, ધોરાજીના કે.ટી.ઝોલાપરાને ચોટીલા, રાજકોટના જે.વી.કાકડીયાને ચુડાની બદલી કરવામાં આવી છે.
જ્યારે 51 નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના જી.ડી.નંદાણીયાને સુરેન્દ્રનગર, ડી.એન.લુવાને કુતીયાણા, એચ.આર.સાંચલા પી.આર.ઓ. રાજકોટ, એમ.જી.રાદડીયાને કોડીનાર, એ.જી.મહેતાને તાલાળા, એસ.આર.ગીનોયાને અબડાસા, વી.પી.રાદડીયાને સુરેન્દ્રનગર, આર.જી.લંગારીયાને ધારી, ખેડાના પી.જે.પટેલને લાઠી, સુરેન્દ્રનગરના એન.એસ.માણેકને કચ્છ, જામનગરના સી.ઓ.કગથરા, દેવભૂમી દ્વારકા, કચ્છના એમ.વી.જાડેજાને ધોરાજી, બી.બી.લખતરીયાને મુળી, બી.જે.ઝાલાને અમદાવાદ, સુરેન્દ્રનગરના આર.એન.દહીમા, અમદાવાદ પી.આર.ત્રીવેદીને વડોદરા, સુરેન્દ્રનગરના વી.ડી.રાઠવીને ગીર સોમનાથ, સાબરકાંઠાના ડી.એલ.રાઠોડને ભાવનગર, કચ્છના એચ.એસ.હુંબલને સુરેન્દ્રનગર, આણંદના કે.ડી.સોલંકીને લીંબડી અને કે.કે.વાળાને રાણપુર ખાતે બદલી થઈ છે.
કચ્છમાંથી 3 મામલતદારોની જિલ્લા બહાર બદલી અને 5 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરાઇ છે.
બઢતીથી 4 અને અન્ય 2 મળી કચ્છને નવા 6 મામલતદારો મળ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટરોની બદલી બાદ હવે રાજ્યના 88 મામલતદારોની બદલી અને 51 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલીઓનો ગંજીપો ચીપાયો છે.
