ગુજરાતના સ્થાપનાદિન એટલે કે તા.1લી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ થશે.
કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. તે મુજબ કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે રાજ્ય સરકારે પણ 1મેથી એટલે ગુજરાત સ્થાપનાદિનથી જ રાજ્યમાં યુવાઓને વેક્સિન આપવા અભિયાન ની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ મુખ્યમંત્રી રૂપાણી એ આ માટે સબંધિત અધિકારીઓને તાત્કાલિક આયોજન કરવાની સૂચનાઓ આપી દીધી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને અભિનંદન આપ્યા હતા. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે સાથે સાથે
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે વાત કરી છે.