રાજ્ય માં જનતા હવે માત્ર ભગવાન ના સહારે છે, માત્ર વોટ ની વાતો ની ડીંગો હાંકતા નેતાઓ અને તેમની ફૌજ ના કોઈ આગોતરા આયોજન વગર હવે કોરોના ની સ્થિતિ બેકાબુ બની છે ચુંટણીઓ યોજ્યાં બાદ જ કોરોના વકર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે જે આંકડા દર્શાવે છે.
કોરોના માં હવે રેમડેસિવિર ઈન્જેક્શન નો પૂરતો જથ્થો નહિ મળતા પોતાના સ્વજન ને બચાવવા માટે રાજ્ય ના સુરત,રાજકોટ,મહેસાણા સહિત બહાર થી લોકો અમદાવાદ માં ઝાયડકસ માં લાઈનો લગાવી રહ્યા છે અને અફરા તફરી નો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. આજે ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી વધુ લોકોની ઈન્જેક્શન લેવા માટે લાઈનો લાગી છે. માત્ર અમદાવાદના જ નહીં પરંતુ સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા છે. લોકોમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે કે નહીં તેની ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે લોકો આખો દિવસ અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈન લગાવી રહ્યા છે.
જે દર્દી માટે ઈન્જેક્શન લેવાના હોય તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ આ ત્રણેય મેચ થાય તો જ ઈન્જેક્શન આપવામાં આવે છે.
આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે, જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ હોય તો પછી શામાટે વધુ કિંમત માં આ ઇન્જેક્શન વેચાઈ રહ્યા ની ફરિયાદ છે શા માટે અછત બતાવાઈ રહી છે. આવા સમયે ફરી થી નોકરી અને ધંધા ને અસર થતા લોકો પાસે એક તરફ પૈસા ખુટ્યા છે અને હવે કોરોના ના કહેર વચ્ચે જનતા નો મરો થઈ રહ્યો છે.
Monday, April 29