કોરોના ની વધતી જતી સ્થિતિ ને લઈ રાજ્ય સરકાર કેટલાક આકરા પગલાં ભરવા ગંભીર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે માટે મુખ્ય સચિવે આજે 19 જિલ્લાઓ ના કલેક્ટરો સાથે આ બેઠકમાં કરી ચર્ચા કરી સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. મુખ્ય સચિવ આગામી કેબિનેટમાં પોતાનો રિપોર્ટ મૂકશે ત્યારબાદ આગળ નો નિર્ણય શુ આવે છે તેના ઉપર આધાર રહેલો છે.
વિગતો મુજબ રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવા કડક નિર્દેશ આપે તેવી ચર્ચા છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત 19 જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની ચર્ચા થઈ હતી, સાથે સાથે જે વિસ્તારમાં કોરોના વધે છે તેવા વિસ્તારોમાં આંશિક લોકડાઉન કરવું જોઈએ કે નહીં તેની પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે 19 જિલ્લામાં જયાં કોરોના સંક્રમણના કેસ વધારે છે તેવા જિલ્લાના કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને તેઓ ના મંતવ્યો જાણ્યા હતા અને અનલોકમાં પણ જે નિયમો આપવાના છે તેવા કડક અમલનો આદેશ આવ્યો છે. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેકટર પાસેથી વિગતો મેળવી હાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે તંત્રએ કોરોના સંક્રમણ વધવા પાછળ લોકો માં જાગૃતિ ના અભાવ નું કારણ જણાવ્યું હતી અને કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તે બાબત મુખ્ય હોવાનું જણાવતા માસ્ક માટેનો હાલનો દંડ રૂા.200થી વધારીને રૂા.1000 સુધી કરવાની ભલામણ કરી હતી. તો કેટલાક અધિકારીઓએ કેટલાક વિસ્તારોમાં આંશિક લોકડાઉન ની ભલામણ કરી હતી.
તમામ અધિકારીઓને દરેક વિસ્તારમાં તકેદારી વધારવા લોકો માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતના ઉપાયોનો અમલ કરે તેવી સ્થિતિ ઉભી કરવા હવે સંભવિત કોરોના દર્દીઓ માયે આરોગ્ય સેતુ એપ. ડાઉનલોડ કરાવીને તેઓને નજર હેઠળ રાખવાની સૂચના આપી હતી આમ હવે પછીનાં તબબકા માં જો કોરોના નું સંક્રમણ વધતું જણાશે તો ચોક્કસ વિસ્તારમાં ફરીથી આંશિક લોકડાઉન નાખવામાં આવી શકે છે જોકે ફરીથી આખા ગુજરાત માં હાલ લોકડાઉંન ની કોઈ શક્યતા નહીં હોવાનું સંબંધિતો એ જણાવ્યું હતું
