કોરોના માં લદાયેલા પ્રતિબંધ હવે હળવા થઈ રહ્યા છે અને હાલ માં લગ્નો ની મોસમ આવી રહી છે ત્યારે સરકારે લગ્નમાં 200 લોકોની પરમિશન આપ્યા બાદ હવે લગ્નમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો કરવા છૂટ આપી છે. સરકારની એસઓપીમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કોરોના ગાઈડ લાઈનનો અમલ કરીને આ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે ‘લગ્નગીત, સંગીત સંધ્યા અને ઓરકેસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી છે.’
લગ્નમાં આ નિયમોનું કરવું પડશે પાલન
લગ્નમાં 200 લોકોની પરમિશન માટે રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 6 ફૂટ ના સોસિયલ ડિસ્ટનિંગ સાથે ફિઝિકલ ડિસ્ટન્ટ અને તેના માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્ક્રિનિંગ, ઓક્સિમિટર, સેનેટાઈઝરની સુવિધા સાથે સ્ટેજ માઈક, સ્પિકર, તેમજ ખુરશીઓને સમયાંતરે સેનિટાઈઝ કરવાના રહેશે. ચા, નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો તે સમારંભ સ્થળ નહીં પરંતુ અલાયદા હોલ અને સ્થળે રાખવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન થૂંકવા તેમજ પાન, મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે એમ વધુમાં જણાવાયું છે.
