વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં 63 હિન્દુ યુવતીઓએ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં હોવાની વિગતો સામે આવી છે, જોકે, આવા કિસ્સાઓમાં કાયદેસર ધર્મ પરિવર્તન કર્યું ન હોવાની માહિતી બહાર આવતા જો ગેરકાયદેસર ધર્મ પરિવર્તન થયું હોય તો કરનાર અને કરાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે સરકાર ને રિપોર્ટ કરી વિગતવાર માહિતી મોકલવામાં આવી છે જેમાં ધર્મ પરિવર્તન નાં કાયદા નું ઉલ્લંઘન થયું હોય એવા કિસ્સામાં લવ જેહાદ અંતર્ગત કાર્યવાહી થશે.
વડોદરામાં લવ જેહાદના બે કિસ્સામાં કાર્યવાહી થઈ છે જેમાં ફતેગંજ પોલીસ મથકે જુલાઇ 2021માં નોંધાયેલા કિસ્સામાં મોહિબ પઠાણે પાટીદાર યુવતીને ભોળવી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યુ હતું. બીજો કિસ્સો જૂન 2021 માં ગોત્રી પોલીસ મથકે નોંધાયો હતો જેમાં સમીર કુરેશી એ હિન્દુ દલિત યુવતી ને ધર્મ પરિવર્તન માટે ફરજ પાડી હોવાનું ફરિયાદ નોંધાઇ હતી,હવે બાકીના કિસ્સાઓમાં તપાસ થશે.
કલેકટર કચેરી ખાતે 2017થી 2021 સુધીમાં માત્ર 10 જ ધર્મ પરિવર્તનની અરજી આવી છે જે પૈકીની 9ને મંજુરી મળી છે. જોકે, 63 લગ્નો પૈકી કોઈ યુવતીએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી નથી. આ અંગે સરકારને રિપોર્ટ કરી મુસ્લિમો સાથે લગ્ન કરનાર 63 મહિલાઓની ચકાસણી કરી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન થયું હોય તો કાયદેસર કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન થયા છે. દરમ્યાન સૂત્રોના જણાવ્યા મુજબ મુસ્લિમ યુવકો સાથે હિન્દુ છોકરીઓએ જે લગ્ન કર્યા તેમાં 2017- 14,2018- 36, 2019 – 29,2020- 33,2021- 13 લગ્નો થયાનું સામે આવ્યું છે જે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
મિડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે વડોદરા શહેર માં છેલ્લા પાંચ વર્ષ માં ૪૨૯૭ લગ્ન નોંધાયા છે એ પૈકી મહિલા હિન્દુ હોય અને પુરુષ મુસ્લિમ હોય એવા ૧૨૫ જેટલા લગ્નો નોંધાયા છે જોકે આ પૈકી ૬૩ લગ્નો વડોદરા રહેવાસીઓ એ નોંધાવ્યા છે બાકી ના અન્ય શહેર જિલ્લા તથા રાજ્ય નાં હોવાનુ બહાર આવ્યું છે.
જોકે,જ્યારથી લવ જેહાદનો કાયદો આવ્યો ત્યારથી હિન્દુ – મુસ્લિમ લગ્નો લગભગ ઓછા થઈ ગયાનું પણ સામે આવ્યું છે અને આવા લગ્ન કરવાનું હિંદુ મુસ્લિમ ટાળી રહ્યા છે.