સમગ્ર દેશમાં હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ લાગુ પાડવામાં આવી રહી છે, જે અંતર્ગત શિક્ષણ વ્યવસ્થા, અભ્યાસક્રમના માળખા, ભણાવવાની વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર લાગુ પાડી રહ્યા છે,પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ અત્યંત હળવાશથી ભણી શકે, મુક્ત રીતે પ્રાથમિક શિક્ષણ મેળવી શકે એ માટે ઘણા ફેરફારો લાગુ પડવાનું સૂચવવામાં આવ્યું છે, આ અન્વયે પ્રાથમિક શિક્ષણમાં ભાર વિનાનાં ભણતર માટે બાળકોને દફ્તર-બેગ, પુસ્તકો લીધા વગર શાળાએ આવવાનું સૂચવવામાં આવ્યું છે, બાલમંદિર અને પ્રાથમિક શાળામાં આજકાલ સ્પર્ધાત્મક માહોલમાં અને સ્માર્ટ શિક્ષણના નામે અનેક ચોપડા પુસ્તકો અને વધારાના પુસ્તકો-નોટબુકના ભારથી બાળકો ખુબ જ તકલીફ ભોગવી રહ્યા છે.
આવા સમયે નગર પ્રાથમિક સમિતિ ભાવનગરના ઉપાધ્યક્ષ રાજદીપ સિંહ જેઠવાએ શિક્ષણ મંત્રીને બાલ મંદિર થી લઈ ધો.1 અને 2 માં દફતર લેશ શિક્ષણ શરૂ કરવા માંગ કરી છે.
તેઓએ કરેલી રજુઆતમાં જણાવાયું છે કે ભાવનગર શિક્ષણની તપોભૂમિ છે,ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટે ભાવનગરમાં બાળ શિક્ષણ ક્ષેત્રે અનેક રચનાત્મક પ્રયોગો કરી અને પ્રાથમિક શિક્ષણને એક અલગ જ સ્વરૂપ આપેલું છે ત્યારે નવી શિક્ષણનીતિ અંતર્ગત સમગ્ર રાજ્યની તમામ શાળાઓમાં બાલ વાટિકા, બાલ મંદિર અને ધોરણ ૧-૨માં ભાર વગરના ભણતર અંતર્ગત બેંગલેસ દફતર વગરનું શિક્ષણ શરૂ કરવા શિક્ષણ વિભાગ અમલ કરાવે,જેથી બાળકોને શાળાએ આવવામાં અનુકૂળતાથી ભાર વગરના ભણતરથી બાળકનાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થશે. શાળા પ્રવેશના શરૂઆતના વર્ષોમાં બાળકને શાળાએ આવવાનું મન થશે અને આ કારણે શાળા સાથે જોડાવાનો બાળકોનો અભિગમ
હકારાત્મક થશે. આના વિકલ્પે બાળકોને શાળા ખાતે દફતર રાખવાની વ્યવસ્થા ગોઠવી શકાય ઉપરાંત પ્રવૃત્તિ આધારિત શિક્ષણના
આયામ શરૂ કરી શકાય તેમજ જરૂરિયાત પુરતા પુસ્તકો શાળાએ રાખીને અભ્યાસ કાર્ય ચલાવી શકાય તેમ છે.