રાજ્યમાં ચાલુ વર્ષે પડી રહેલા વ્યાપક વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈ સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી ગઈ છે અને હવે ઓવરફ્લો થવામાં માત્ર 3 મીટર બાકી બાકી રહેતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા નર્મદાનદીમાં ઘોડાપુર આવ્યા છે પરિણામે નર્મદા નદીના કાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે. જેના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 1 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે પરિણામે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.