પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં છેલ્લા ચાર દિવસથી નગરજનો ગંધાતુ પાણી પીતા હતા અને જ્યારે એ જ પાઈપલાઈનમાંથી લાશનો ટુકડા નીકળતા સ્થાનિકો ચોંકી ઉઠ્યા છે અને અજાણતામાં જ લાશ જે પાઇપ લાઈનમાં હતી તે પાણી પી લેવાની ખબર પડતાં લોકો ઊલટીઓ કરી રહયા છે.
જ્યારે લાશ પાણીમાં ફસાઈ જતા પાણી આવતું બંધ થઈ ગયું અને પાલિકા સફાઈ કામદારોએ પાઈપલાઈન ખોલતા જ માથું તેમજ હાથના અવશેષો નીકળી પડતાં લોકો ચોંકી ઉઠ્યા છે.
તપાસ માટે બુધવારે જ્યારે અન્ય વધુ એક પાઈપને ખોલવામાં આવી તો તેમાંથી પણ એક પગથી લઈ કમર સુધીનો ભાગ નીકળી પડ્યો હતો.
આમ,લાશ વાળું પાણી પી લેનાર નગરજનોની હાલત વિકટ બની છે.
ચાર દિવસથી દુર્ગંધવાળું પાણી પીવામાં ઉપયોગ કરનાર લોકોને જ્યારે જાણ થઈ કે પાઇપ લાઈનમાંથી લાશના ટુકડા નીકળ્યા ત્યારે આખા નગરમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને લોકો આખી પાઇપ લાઈન બદલવાની માંગ કરી રહયા છે.
હવે જ્યારે પાણીના ટેન્કરોમાં પાણી આપવામાં આવી રહ્યું છે તે પણ પીવામાં લાશની ફીલિંગ આવતા લોકો પાણી પી શકતા નથી અને ઉબકા કરી રહયા છે.
ત્યારે આ લાશ કોની હતી અને કોણ નાખી ગયું તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.
જોકે,લોકોને મુશ્કેલીમાં મુકનાર આ બાબતે કોણ જવાબદાર તે સવાલ ઉઠી રહ્યો છે.
માનવ કંકાલના અવશેષો મળતાં સિદ્ધપુર પોલીસ સાથે પાટણ એલ.સી.બી પોલીસ પણ તપાસમાં જોતરાઇ છે અને છેલ્લા કેટલાક દિવસમાં ગુમ થયેલા લોકોની યાદી મેળવી રહી છે. જોકે, આ વચ્ચે સિદ્ધપુરમાં દસેક દિવસથી એક યુવતી પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. મળેલા આ અવશેષો કોના છે, આ હત્યા કરીને ફેંકાયેલી લાશ છે કે, પછી કોઇએ ટાંકીમાં જઇને આત્મહત્યા કરી છે, તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.