—રહેણાંક વિસ્તારમાં 50થી વધુ ગેસ સિલિન્ડર કોણે રાખ્યા?નિયમ વિરુદ્ધ રેસિડેન્ટ એરિયામાં બેદરકારી દાખવનાર તત્વો એ લોકોના જીવ સામે ઉભું કર્યું જોખમ
સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં રાખવામાં આવેલા 10થી વધુ ગેસ-સિલિન્ડર ફાટતાં ભારે નાસભાગ મચી હતી અને પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસનાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી, આ મકાનમાં 50થી વધુ ગેસ સિલિન્ડર પડ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક મકાનમાં રાખવામાં આવેલા LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તે રૂમમાં આગ લાગતા ગેસના બાટલા એક પછી ફાટતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં તિરાડ પડી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
જોકે,આગનું કારણ જાણી શકાયું ન હતું.
ઉપરાંત, રહેણાંક મકાનમાં 50 થી વધુ ગેસ સિલિન્ડર હોવાનું સામે આવ્યું હતું ત્યારે આટલી મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર રેસિડેન્ટ એરિયામાં કેમ રાખવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે.
સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં રાખવામાં આવેલા 10થી વધુ ગેસ-સિલિન્ડર ફાટતાં ભારે નાસભાગ મચી હતી અને પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસનાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી, આ મકાનમાં 50થી વધુ ગેસ સિલિન્ડર પડ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક મકાનમાં રાખવામાં આવેલા LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તે રૂમમાં આગ લાગતા ગેસના બાટલા એક પછી ફાટતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં તિરાડ પડી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
જોકે,આગનું કારણ જાણી શકાયું ન હતું.
ઉપરાંત, રહેણાંક મકાનમાં 50 થી વધુ ગેસ સિલિન્ડર હોવાનું સામે આવ્યું હતું ત્યારે આટલી મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર રેસિડેન્ટ એરિયામાં કેમ રાખવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે.