લરાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર કર્યો છે.
હવેથી ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત માન્ય ગણાશે.
હાલ રાજ્યમાં 76 હજાર 949 શિક્ષકોની ઘટ છે.
કેટલાક જિલ્લામાં 35 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે.
કેટલાક જિલ્લા એવા છે કે જયાં 43 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. આ કારણે શાળામાં વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી.
શાળામાં વિદ્યાર્થી ઉપર ધ્યાન ન અપાય તેથી વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન તરફ વળે છે આપને જણાવી દઈએ કે રાજ્યમાં ખાનગી ટ્યુશનનો બિઝનેસ લગભગ 500 કરોડને પાર છે. રાજ્યમાં 30 હજારથી વધુ કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે.
રાજ્યમાં હાલ 50 હજારથી વધુ નોન કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ ચાલી રહયા છે.
આવા સમયે હવે શિક્ષકોની ભરતી થશે અને તે માટે ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત માન્ય ગણી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે.
મહત્વનું છે કે, ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત ધરાવાતા ઉમેદવારો હવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે પરિણામે રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક ઉમેદવારોને તેનો લાભ મળી શકશે.