હોળી-ધુળેટી પર્વ ને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદ અને સુરત ડિવિઝનમાં વધારાની બસો ફળવવાનો નિર્ણય લીધો છે. જેમાં આગામી તા.25,26 અને 27 માર્ચ ના રોજ અમદાવાદથી રોજ 100 બસ અને સુરત માંથી 200 વધારાની બસ દોડવામાં આવશે.
લોકોની ભીડ એકઠી ના થાય તે માટે અને લોકો પર્વમાં તેમના વતન જઇ શકે તે માટે આ બસો વધારવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પણ બંને ડિવિઝનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર માંથી લોકો દર વર્ષે હોળીના તહેવારમાં ગુજરાતમાં આવતા હોય છે પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ વધવાના કારણે કેટલાક વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છતાંય તેઓ ગુજરાત આવી શકે તે માટે બસ ની સેવા ચાલુ રાખવામાં આવી છે.
હાલ માં કોરોના ના કેસો વધતા શહેરો માં રાત્રી કરફ્યૂ સહિત ના પ્રતિબંધ આવી જતા લોકો માં લોક ડાઉન આવવા અંગે નો વહેમ ઘુસી જતા ગામડા માંથી આવતા લોકો વતન માં તહેવાર મનાવવા મોટી સંખ્યામાં જઇ રહ્યા હોય એસટી તંત્ર દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે.
