અમદાવાદમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે સેશન કોર્ટ ચૂકાદો આપી શકે છે. લઠ્ઠાકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લઠ્ઠાકાંડના 10 આરોપીઓ છેલ્લા 10 વર્ષથી જેલમાં બંધ છે. કાગડાપીઠના મજૂરગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં આજે સેશન કોર્ટ ચૂકાદો આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મજૂરગામ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં 23 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડમાં 22 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઝેરી દારૂની અસરના બોગ બન્યા હતા અને અનેક લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠકાંડમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો ત્યારે મજૂરગામમાં થેયલા લઠ્ઠાકાંડ મામલે આજે સેશન કોર્ટ ચૂકાદો આપી શકે છે.