સૌરાષ્ટ્રમાં ધ્રાફા ગામે છકડો પુલ ઉપરથી નીચે ખાબકતા ત્રણ લોકોના મોત થયા છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલા ધ્રાફા ગામેથી છકડો રિક્ષા ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે જતાં સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે તેમજ આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ઈજાગ્રસ્તને હાલ જામનગર અને ખંભાળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ઘરી હતી.