Ahmedabad plane crash: ટેકઓફ પછી તરત જ B787 વિમાન ક્રેશ, 242 લોકો સવાર હતા
ઘટનાસ્થળેથી આવી રહી છે ભયાવહ તસ્વીરો, રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલુ
Ahmedabad plane crash: આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (Boeing 787) ટેકઓફ કર્યા પછી થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ. વિમાન ક્રેશ થતાની સાથે જ એક જોરદાર ધડાકો થયો અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ચશ્મદિદીઓ અનુસાર ઘટનાસ્થળેથી ઘાટો કાળો ધૂમાડો આકાશમાં ઉડતો જોવા મળ્યો હતો.
વિમાનમાં કોણ કોણ સવાર હતું?
- કુલ 242 લોકો
- 230 યાત્રીઓ
- 169 ભારતીય
- 53 બ્રિટિશ
- 7 પોર્ટુગીઝ
- 1 કેનેડિયન
- 12 ક્રૂ મેમ્બર્સ (10 કેબિન ક્રૂ અને 2 પાઇલટ)
- 230 યાત્રીઓ
દુર્ઘટના બાદ સ્થિતિ અને બચાવ કામગીરી
- વિમાન ક્રેશ થતા જ ભીષણ આગ લાગી ગઈ.
- એનડીઆરએફની 3 ટીમો (કુલ 90 કર્મચારીઓ સાથે) ગાંધીનગરથી ઘટના સ્થળે પહોંચી છે.
- વડોદરામાંથી પણ 3 વધારાની ટીમો મોકલવામાં આવી છે.
- સેનાની અને એરફોર્સની ટીમોએ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.
વિમાન વિશે માહિતી
- દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે આશરે 11 વર્ષ જૂનું હતું.
- આ વિમાનમાં હલકી વજનની ધાતુઓના મિશ્રણનો ઉપયોગ થતો હોવાથી આલ્ગસે લાંબી યાત્રા માટે યોગ્ય ગણાય છે.
- તે ઓછી ઇંધણ ખર્ચ કરે છે અને એટલા માટે મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ તેનો ઉપયોગ કરે છે.
રાજકીય નેતાઓની પ્રતિક્રિયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું:
“વિમાન દુર્ઘટનાની ખબરે મને ભારે દુઃખ પહોંચ્યું છે. મેં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા તથા ઘાયલોને સારવાર માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા સુચના આપી છે.”
— london ka sarpanch (@devkishansharm9) June 12, 2025
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું:
“આ દુર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. હું ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે સંવાદ કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.”
ઘટનાસ્થળની દ્રશ્યો
દુર્ઘટનાના થતાની સાથે જ સામાજિક માધ્યમોમાં એક પછી એક ભયજનક તસ્વીરો સામે આવી રહી છે. વિમાનનો મलबો, આસપાસ થયેલું નુકસાન અને બચાવ કાર્યની તસવીરો હાલ ટ્રેન્ડિંગમાં છે.