અમદાવાદ ની સેલબી હોસ્પિટલ ફરી વિવાદ માં આવી છે અને આ વખતે દર્દી પાસે થી લાખ્ખો ની રકમ પડાવી લઈ ઘૂંટણ ની પથારી ફેરવી નાખી દર્દ વધી જતાં દર્દી ને બીજી હોસ્પિટલમાં માં જવા માટે કહી દેવાતાં લાખ્ખો માં પૈસા ગુમાવી હવે પગ ગુમાવવા ની નોબત આવતા અને ડોક્ટરે વધુ લાખ્ખો રૂપિયા માંગતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે તા.18 એપ્રિલે ની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીને હોસ્પિટલે ઘૂંટણ બગાડી નાખ્યા ના ચોંકાવનારા આક્ષેપ થતા આ હોસ્પિટલ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
કારણ કે આ હોસ્પિટલ ના તબીબો દ્વારા મહિલા ના પગ ના ઘૂંટણના ઓપરેશન દરમ્યાન બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ થયો છે અને ઓપરેશન બાદ દર્દીને પગ ના ઘૂંટણ બગડી જતા મહિલા દર્દી ની હાલત દયનીય બની છે.
અત્યાર સુધી અંદાજે 4 લાખ 97 હજારનું બિલ ભર્યું હોવાનું દર્દીના પરિવારજનો જણાવી રહ્યા છે અને ઉપર થી કુલ રૂ.9 લાખનું ટોટલ બિલ ચૂકવવાનું કહીને કેસ બગાડી ને હવે દર્દીને ઘરે લઇ જવા હવે હોસ્પિટલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
તબીબે ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરતી વખતે દાખવી બેદરકારી આચરી હોવાની વાત સામે આવી છે.
એટલુંજ નહિ પણ દર્દી મહિલાની દીકરીને પણ તબીબો દ્વારા અપાઈ ધમકીઓ અપાઈ રહી છે.
અને તબીબો પગ કાપવાની કરી રહ્યા વાત કરતા આખરે હોસ્પિટલ સામે યુવતિએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અરજી કરી ન્યાય ની માંગણી કરી છે તેમજ સાયબર ક્રાઈમમાં પણ અરજી કરવામાં આવી છે.
દર્દી નો કેસ બગડતા બિલ માફ કરી રજા આપવામાં આવે અને તબીબની ભૂલ બદલ માફી માંગવામાં આવે તેવી દર્દીની દીકરીએ માંગ કરી છે.
અમદાવાદમાં એસ.જી.હાઈવે સ્થિત સેલબી હોસ્પિટલ ની દાદાગીરી સામે આવી છે જેમાં તા.12 એપ્રિલના રોજ માધવીબેન ઠક્કર ની પગ ના ઘૂંટણ ના રિપ્લેસમેન્ટ માટે સેલબી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં ઓપરેશન બાદ તેમને ઘરે લાવ્યા પછી તેમને તા. ૧૮ એપ્રિલથી બ્લડ નીકળવાનું શરૂ થયું હતું જે બ્લડ નીકળવાનું ચાલુ રહેતા હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવા લઈને આવ્યા ત્યારે હોસ્પિટલમાં લગભગ રૂ. 4,97000 લાખ ચૂકવ્યા છે હજુ 8 લાખ નું બીજું બિલ ભરવાનું બાકી છે હોસ્પિટલ દ્વારા બિલ ભરવા માટે દબાણ કરવામાં આવ્યું રહીયું છે તેવું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે સાથે દર્દીના સગાએ વાતચીત કરતા જણાવ્યું કે બહારના ડોક્ટરોને વાત કર્યા પ્રમાણે તેમણે જણાવ્યું કે ગેગરીન હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને દર્દીનો પગ કાપવો પડશે. તેને લઇ પરીવારજનો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. પરિવારજનો કહી રહ્યા છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં સેલબી હોસ્પિટલ ની ટીમ નિષ્ફળ ગઈ છે અને દર્દી ની હાલત બગડી ગઈ છે ત્યારે સારવાર ને બદલે ઉપર થી હાલ હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પેહલા પૈસા ભરો પછી જ સારવાર મળશે તેવું પરિવાર દ્વારા સત્ય ડે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવતા હવે મામલો ગુંચવાયો છે.
ખાનગી હોસ્પિટલ માં સારી સારવાર ની આશા એ દાખલ થયેલા દર્દી ની હાલત ખરાબ કરી નાખવાના આક્ષેપો થયા છે તે જોતા ડો.વિક્રમ શાહ સામે પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે