અમદાવાદ માંજિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીમાં હવે સળંગ ચાર દિવસ સુધી કોઈ કામો થશે નહીં કારણ કે શિવરાત્રી પર્વ અને મોદીજી ના આગમન ને લઈ ચાર દિવસ જાહેર જનતા માટે રજા નો માહોલ રહેશે. ગુરુવારથી રવિવાર સુધી પ્રજાનું કામ થઇ શકશે નહીં.કારણ કે ગુરૂવારે મહાશિવરાત્રી હોવાથી જાહેર રજા છે જ્યારે શુક્રવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં દાંડીયાત્રા હોવાથી ગાંધી આશ્રમથી સુભાષબ્રિજ રોડ પર વાહનો ના પ્રવેશ ઉપર પાબંધી રહેશે અને બીજા શનિવાર અને રવિવારની જાહેર રજા હોઇ કામો થશે નહીં જેથી હવે સોમવારે લોકોના કામ થઇ શકશે.
શુક્રવારે દાંડીયાત્રાના લીધે હાલ જિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીના અધિકારીઓ સતત બિઝી છે.
આમ વડાપ્રધાન ના આગમન ને લઈ સરકારી તંત્ર માં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
