અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ યોજાય તે પહેલાં ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જોકે, મંદિર કે સરકાર તરફથી રથયાત્રા કાઢવા મામલે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આજે જગન્નાથ મંદિરને 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ અપાયું છે જેઓ વેકસીનેટેડ હશે. જગન્નાથ મંદિરની બહાર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું જગન્નાથ મંદિરનું મોટું બેનર લગાવવામાં આવ્યું છે.
બેનરમાં ભગવાનશ્રી જગન્નાથની ઐતિહાસિક પારંપરિક 144મી રથયાત્રા 12-07-2021ને સોમવારે. બેનરમાં સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો તેવું પણ લખ્યું છે. આજે બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સ્થળ ઉપર હાજર રહી નિરીક્ષણ કર્યું હતું.
આજે બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને કમિટીના ચેરમેનો હાજર રહ્યા હતા અને રથયાત્રાના સમગ્ર રૂટ માટે ચર્ચા કરી હતી.