અમદાવાદ શહેરમાં કોરોના ના 304 કેસ નોંધાવા સાથે 2 ના મોત થતા તંત્ર ચોંકી ઉઠ્યું છે અને કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક માં આવતીકાલે શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી અમદાવાદ માં છેલ્લા 24 કલાક માં કોરોનાના 304 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીના મોત થયા છે. તેમજ 255 દર્દી સાજા થયા છે. આ સાથે જ કુલ કેસ 65,693 થયા છે અને મૃત્યુઆંક 2328એ પહોંચ્યો છે. જ્યારે 62,225 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
અગાઉ સરકારે રાત ના 10 થી સવાર ના 6 સુધી નો નાઈટ કરફ્યૂ લગાવાયા બાદ હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાત્રી ના 9 વાગ્યા થી સવાર ના 6 વાગ્યા સુધી નો નાઈટ કરફ્યૂ નો સમય કરી દેવામાં આવ્યો છે.
