અમદાવાદમાં રેડિયોમિર્ચી ટાવર સામે ની આનંદ નગર ઝૂંપડપટ્ટીમાં માં આગ લાગતા દોડધામ મચી છે બનાવ ની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
અમદાવાદ શહેરના આનંદનગર ખાતેના રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટી માં ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ છે. બનાવ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ 15 ફાયર ફાયટરો સાથે સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર જોરદાર પાણી નો મારો ચલાવી આગ ને કાબૂમાં લીધી હતી અહીં આવેલા લગભગ 100માંથી 25 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા બનાવ ની ગંભીરતા જોઈ આખો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને અન્ય મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા હતા,સદનસીબે જાનહાની ટળી હતી.
ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો હતો.
આ ઘટના ને લઈ આ વિસ્તારમાં ભારે ચકચાર અને દોડધામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા.